ર્ડા.સોહમ દત્તાત્રેય દવે જાણીતા કન્સલ્ટન્ટ નેત્ર ચિકિત્સક છે. તેઓ અત્યંત ઉત્સાહી અને ઉદ્યમી ડૉક્ટર છે. જેમણે નેત્રરોગ ચિકિત્સાના ક્ષેત્રે દશ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ વિવિધ નેત્રરોગ ચિકિત્સા પ્રક્રિયાઓની સર્વગારી કુશળતા ધરાવે છે. ર્ડા. દવે ઉચ્ચ ધોરણની સારવારો ઘ્વારા તેમના દર્દીઓને શ્રેષ્ઠ પરિણામો મળે તે માટે સમર્પિત રહે છે. તેમને સ્તરે પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા છે. જેમાં ધ રોયલ કૉલેજ ઓફ ફિજિશિયન્સ એન્ડ સર્જન્સ, ગ્લાસગો અને ધ રોયલ કૉલેજ ઓફ સર્જન્સ, એડિનબર્ગ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમને ર્ડા. અગરવાલ આઈ હોસ્પિટલ ચેન્નાઇ તરફથી ફેલોશીપ ઈન જનરલ ઓપથોલ્મોલોજી પણ પ્રાપ્ત છે, જેને કારણે ર્ડા .દવે તેમની જ્ઞાન સંપદા અને નિપૂણતા વડે દર્દીઓને શ્રેષ્ઠ સેવા પૂરી પાડે છે. ર્ડા.દવે નો મિત્રભાવ, પ્રેમ, સહાનુભુતિ, સહાયતા દર્દીઓમાં તેમના પ્રત્યે વિશ્વાસ પ્રેરે છે અને ર્ડા દવેના આ વારસાગત ગુણો માનવ સેવા માટેના તેમના દ્રઢ સંકલ્પમાં પ્રતિબિંબિત થાય છે. તેઓ તેમના દર્દીઓ માટે એક વિશ્વાશપાત્ર અને લાગણીશીલ નેત્ર -ચિકિત્સક રહ્યા છે. શિક્ષણ અને તાલિમની સમૃધ્ધ ભૂમિકા, અનેક સફળ શસ્ત્રક્રિયાઓની સિધ્ધિઓ તેમજ પોતાના ક્ષેત્રના શૈક્ષણિક સાહિત્યમાં આપેલો ફાળો તેમને વિશેષતા બક્ષે છે. તેઓ પોતાના ક્ષેત્રમાં સિધ્ધહસ્ત છે તેમજ વ્યવસાયિક નિપુણતા અને અતિ આધુનિક નેત્રચિકિત્સા પ્રત્યેના સમર્પણ માટે જાણીતા છે.
ર્ડા. સોહમ દવે આઈ હોસ્પિટલમાં અમે એ સિદ્ધાંત ને વરેલા છે કે દ્રષ્ટિ છે તો બધું જ છે. સ્પષ્ટ દ્રષ્ટિ જ માનવીમાં રહેલી અનંત શક્યતાઓના પેટારાઓને ખોલવાની ચાવી છે. અમે દૃઢતા પૂર્વક એમ માનીએ છે દ્રષ્ટિ એ સ્પષ્ટ જોવાની ક્ષમતા કરતાં કંઈક વિશેષ છે.
અમે દર્દીઓને સુસંગત, સંપૂર્ણ અને મુશ્કેલી રહિત અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે અને એક જ છત તળે વિવિધ પ્રકારની આંખોની ચિકિત્સા ઉપલબ્ધ કરાવવા માટે તત્પર છીએ.
અમારે ત્યાં આંખની દરેક સમસ્યા માટે સર્વગ્રાહી, સંપૂર્ણ સારવાર અને ચિકિત્સા ઉપલબદ્ધ છે જેનું શ્રેય અમારા નિષણાંત ડોક્ટરની ટીમને આભારી છે.
અમારા આંખના નિષ્ણાંતોની ટીમ અને નિષ્ણાંત શસ્ત્રક્રિયા કરનારા ડોક્ટરોની ટીમ દર્દીઓને સલામત અને અસરકારક સારવાર આપવા માટે સમર્પિત છે. અમારી સારવારના કેન્ક્ દર્દી જ હોય છે.
અતિઆધુનિક ટેકનોલોજી, સર્વોત્તમ ચિકિત્સા અને આંખની શ્રેષ્ઠ સારવાર પુરી પાડવી, જેમાં દર્દી કેન્દ્ર સ્થાને હોય, અને સમાજમાંથી નિવાર્ય અંધાપાને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ રેહવું.
એવી દુનિયાનું સર્જન જ્યાં દરેકને નૈતિક દ્રષ્ટિએ સંતોષકારક, બુદ્ધિગમ્ય અને વ્યાજબી દરે આંખોની સારવાર મળે અને એવા ભવિષ્યનું નિર્માણ કરવું જ્યાં અંધાપાના દુઃખને ટાળી શકાય.
અતિઆધુનિક ટેકનોલોજી, સર્વોત્તમ ચિકિત્સા અને આંખની શ્રેષ્ઠ સારવાર પુરી પાડવી, જેમાં દર્દી કેન્દ્ર સ્થાને હોય, અને સમાજમાંથી નિવાર્ય અંધાપાને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ રેહવું.ં અંધાપાના દુઃખને ટાળી શકાય.
પારદર્શકતા, નિષ્ઠા અને સહાનુભૂતિના મૂલ્યોને આત્મસાત કરી આદર્શ વ્યવસાયિક ગુણો તેમજ પરસ્પર સન્માનની ભાવના સાથે સારવાર કરવી જેમાં દર્દી કેન્દ્ર સ્થાને હોય.
અમે ફક્ત તમારી આંખોની શ્રેષ્ઠ સંભાળ આપીએ છીએ. તમારા સ્વાસ્થ્ય વિશે વધુ જાણવા માટે આજે જ અમારા નિષ્ણાતોમાંથી એકની મુલાકાત લો!